શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .

પ્રાથમિક શાળાઓમાં ૧૦૦% નામાંકનનો સંકલ્પ


પ્રાથમિક શાળાઓમાં ૧૦૦% નામાંકનનો સંકલ્પ

   શાળા પ્રવેશોત્સવનો હેતુ પ્રાથમિક શાળાઓમાં ૧૦૦% નામાંકન સુનિશ્ચિતકરવાનો છે, જ્યારે કન્યાકેળવણી અભિયાન દ્વારા આપણે કન્યાશિક્ષણને પ્રોત્સાહન આપવા પ્રતિબધ્ધ છીએ. શાળાનો ઓરડો હોય કે ખેલનું મેદાન, દિકરીઓને વિજયી થતી જોવાની ખુશી કાંઈ અલગ જ છે.
        જુન મહિનો એટલે બળબળતી ગરમીમાંથી મુક્તિનો સમય.પ્રત્યેકવર્ષે આ જ અરસામાં હું, મંત્રીમંડળનાં મારા સાથીઓ, વરિષ્ટસરકારીઅમલદારો અને અધિકારીઓની આખીય ટીમ ગુજરાતગામે-ગામ લોકોને તેમના નાના બાળકોને શાળામાંભરતીકરવાની વિનંતી કરીએ છીએ. આજથી આપણેગ્રામીણવિસ્તારોમાં ત્રણ દિવસીય શાળાપ્રવેશોત્સવઅભિયાનનોપ્રારંભકર્યો છે, જ્યારે મહિનાનાંઅંતેઆ અભિયાન આપણેશહેરીવિસ્તારોમાં યોજીશું.
          મેં જોયું છે કે શાળાનો પહેલો દિવસ ભાગ્યે જ કોઈનેયાદહોય છે, કારણકે એ દિવસે ખાસકહેવાય એવું કાંઈ બનતું નથી. પણ, હવે મને ખુશી છે કે આબાળકો જ્યારે શાળામાં પહેલાકદમમાંડશે ત્યારે માત્ર તેમનાં વાલીઓ જ નહિ પણસમગ્રગુજરાતનીનજરતેમની ઉપર હશે. જરાવિચારતો કરો, નાનકડા બાળકને પહેલા દિવસે શાળાએ મુકવા તેનીસાથેયુનિફોર્મમાં સજ્જ એવા એક આઈપીએસઅધિકારીકે પછી કોઈ રાજ્યમંત્રી જશે તો આબાબતતેના મન ઉપર કેવી રોમાંચકછાપછોડી જશે? મને ખાત્રી છે કે કોઈપણ બાળક આ દિવસનેજીવનભર ભુલી શકશે નહિ.

          આ વર્ષનાં અભિયાનમાં ૩૪,૦૦૦ જેટલીસરકારીપ્રાથમિકશાળાઓને આવરી લેવાશે. કન્યાઓને ધોરણ-૧ માંપ્રવેશવખતે સરકારદ્વારાઅપાતા રૂપિયા ૧,૦૦૦ નાં બોન્ડ, કે જેનાં ધોરણ-૭ માં પાકતી મુદતે રૂપિયા ૨,૦૦૦ મળે છે, તેમાં પહેલીવાર હવે સરકાર દ્વારાવ્યાજપણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, બાળકોને ૪૮,૦૦૦ જેટલી સાયકલો આપવામાં આવશે અને આંગણવાડીનાં ભુલકાઓને રમકડાં વહેંચવામાં આવશે. ૧૦,૫૯૫ જેટલાં નવા ક્લાસરૂમ ઉમેરવામાં આવશે, જ્યારે ૨૬,૦૦૦ જેટલા શાળાકિય માળખાઓનું ખાતમુર્હત કરવામાં આવશે.

           પ્રાથમિકશિક્ષણને લગતાં આપણાં તમામ પ્રયાસોપાછળઆપણુંમિશનમાનવ સંપદાની ક્ષમતાનોવિકાસકરવાનું છે. આ માટે આપણે મૂળભુત બાબતોથીશરૂઆતકરવી પડશે. અને એટલે જ પ્રાથમિક શિક્ષણ ઉપરધ્યાનકેન્દ્રિતકરવુંઅત્યંતઆવશ્યકબની જાય છે.
           આ કાર્યક્રમોમાંસહકારઆપવા હું આપ સૌને વિનંતી કરું છું, કે જેથી કોઈબાળકશિક્ષણનો આ સુવર્ણ અવસર ચૂકી ન જાય, એક એવો અવસર જેઆગળ ઉપર વિકાસનાંઅનેકદ્વારખોલી આપશે.

આપનો,


નરેન્દ્ર મોદી